Sunday, September 25, 2005

આપણી જવાબદારી

વિશ્વ ની સૌથી મોટી લોકશાહી કે જ્યાં ¼ વસ્તી ગરીબી રેખા ની નીચે જીવે છે, જ્યાં વિશ્વ નાં 1/3 ગરીબો વસવાટ કરે છે, ત્યાં નાં વિરોધપક્ષ નાં નેતા અને ભુતપૂર્વ ગૃહ મંત્રી પાસે થી એક સામાન્ય માણસ કઇ જાત નાં ભાષણ ની આશા રાખે?

જો તમે માનતા હો કે આ ભાઇ દેશ ની સરકાર ની ઝાટકણી કાઢતા હશે કેમ કે સરકાર
(1) ગરીબો નો ઉદ્ધાર લાવવા વધારે શાળા ઓ નથી બંધાવતી,
(2) રોજગાર ઉત્પન્ન કરવાની યોજના ઓ નો અમલ નથી કરતી,
(3) સમાજ માં નાત-જાત ના ભેદભાવ દૂર કરવા નો પૂરતો પ્રયત્ન નથી કરતી
(4) દેશ નાં સૌથી મોટા આંતરીક દુશ્મન, કોમવાદ, ને ડામવા માં નિશ્ફળ નિવડી રહી છે.
તો, તમે ખોટા પડશો. કેમ કે એલ. કે. અડવાણી આજે સોમનાથ ગ્યા’તા અને ફરી થી પોતાની “તકિયા કલામ” અયોધ્યા માં રામમંદિર બનાવવાની વાત ઉચ્ચાઇરી. જ્યારે આ બધાય નેતા ગુજરાત માં આવીને બિચારા સામાન્ય લોકો નું ધ્યાન અર્થ વગર ની વાતો માં દોરવે ને’ ત્યારે મને પાર વગર ની ખીજ ચડે છે. કારણ કે એમને ખુદ ને પણ ખબર છે કે લોકો ને આર્થિક રીતે ઉંચા લાવવા માટે સખત મહેનત કરવી પડે. અને જો ખાલી મંદિર ના નામે મત મળતા હોય તો લોકો નાં વિકાસ કરવા માટે ની ગધ્ધા મજુરી શું કામ કરવી?

આ જ અડવાણી અને એની પાર્ટી એ એક માણસ ને ત્રણ વખત સુધી મારા મોરબી માં વિધાનસભા ની ચૂંટણી માટે ટીકીટ આઇપી અને મોરબી ની પ્રજા એ આ માણસ ને ચૂંઇટો પણ ખરો. ગ્યા વર્ષે એના ઉપર એક ખુન કરાવવાનો કેસ હાઇલો અને અત્યારે જન્મટીપ ની સજા ભોગવે છે, આ ભાઇ. ધારાસભ્ય જેલ માં અને તો ય એક પણ ખુલાસો કે માફી નો શબ્દ અડવાણી કે ભાજપ તરફ થી પ્રજા ને નો’ મૈળો. આજ-કાલ ભાજપ, મનમોહન સિંઘ ની સરકાર પાસે લાલૂ જેવા લોકો કે જેના ઉપર કેસ હાલે છે તેમને હટાવવાની માંગણી કરે છે. પણ જ્યારે છેલ્લી વિધાનસભા ની ચૂંટણી થઇ ત્યારે આ મોરબી નાં માણસ ઉપર 3 વર્ષ થી કેસ હાલતો’તો.

આપણો જ વાંક છે. આપણા દેશ નાં નફ્ફટ રાજકારણી ઓ ને પ્રજા પૂરતા પ્રશ્નો પુછતી નથી; એટલે જ આ બધાય ‘નેતા’ ચડી બેઠા છે. જો ખેતર માં વાવેલો પાક પૂરતા પ્રમાણ માં જોતો હોય તો નિયમીત નિંદામણ કરીને નકામા છોડ કાઢવા પડે. ઇ જ રીતે જો રાજકારણીઓ પાસે સમાજ અને દેશ નું ભલું કરાવવું હોય તો નકામા લોકો ને રસ્તો (exit) દેખાડવો પડે.


Disclaimer: હું એકેય પાર્ટી નો માણસ નથી. આ લખાણ મારા પોતાનાં વિચારો ની શબ્દો માં અભિવ્યક્તિ છે.

2 Comments:

Anonymous Anonymous said...

As far as the 'gunda' politicians go, they deserve to be punished even more than other criminals.

We need simple political program for our country : Education, Education and Education ! We need to learn to see our population as our biggest resource. We need to think of our population as brains we can use rather than stomachs we have to feed.

2/10/05 04:34  
Blogger Kathiawadi said...

Dhawal bhai,

I agree.

But how can you educate (or teach the importance of education to) the poorest of the poor, when their focus of life is diverted from the economic developemt of their families to worthless mandir-masjid issue?

Why not VHP leaders send their own children for kar-seva? The poors always suffer.

Thanks for the comment!
Hiren

2/10/05 21:22  

Post a Comment

<< Home