Sunday, October 02, 2005

ગાંધીજી અને ગુજરાત

ગાંધીજી. આ માણસ હારે કોને વાંધો નથી? કૉંગ્રેસ ને એમ થાય છે કે ગાંધીજી એ ભારત ના ભાગલા નો પૂરતો વિરોધ નો કઇરો. ભાજપ કે જેના મૂળ RSS માં થી ઉત્પન્ન થાય છે એને વાંધો છે કે ગાંધીજી એ હિંદુઓ નાં હિતો ને હાનિકારક પગલા ભઇરા. હંમેશા દેશ નાં વિકાસ માં દખલકારક સામ્યવાદીઓ ને ગાંધીજી ની આસ્તિકતા આડી આવે છે.

આજે જો ગુજરાત માં કોઇ હાઇસ્કુલ કે કૉલેજ નાં ગ્રૅજ્યુએટ ને પુછવામાં આવે કે ગાંધીજી એ લખેલા કેટલા લખાણ વાંચ્યા છે તો, ભાગ્યે જ કોઇ જોવા મળશે કે જેણે ગાંધીજી ની આત્મકથા સિવાય કોઇ લખાણ વાંચ્યુ હશે. પણ જો એ જ લોકો ને ગાંધીજી વિશે અભિપ્રાય પુછીએ તો ટિકા જ સાંભળવા મળશે. ગાંધીજી ની ટિકા કરવી ઇ હવે ફેશન બની ગઇ છે.

મને પૂરો વિશ્વાસ છે કે જો કોઇ પણ વ્યક્તિ ગાંધીજી નું લખાણ વાંચે તો તરત જ ખ્યાલ આવશે કે તે માણસ નાં વિચારો કેવી રીતે આકાર પામ્યા. અને કેવી પરિસ્થિતિ માં તે આકાર પામ્યા. તે ખુદ પણ કબુલ કરે છે કે કોઇ પણ માણસ પરફેક્ટ નથી. આજે આઝાદી નાં 60 વરસ પછી આપણે જોઇ શકીએ છીએ કે માત્ર ગાંધીજી જ નહી, બધા નેતા ઓ એ નાની-મોટી ભૂલો કરી હતી. આજે તો ગુજરાત માં હાલતા ને ચાલતા લોકો સરદાર પટેલ ની સરખામણી ગાંધીજી સાથે કરે છે; બે ય ની જરૂર હતી ભારત ને. પણ કમનસીબે, આ સરખામણી હવે મત મેળવવાનું સાધન બની ગ્યુ છે.


PS: ગાંધીજી નાં પૂરા લખાણ અહિં વાંચવા મળશે: http://www.mahatma.org.in/bookmain.jsp?link=bk

ગાંધીજી ઉપર બીજી સારી વેબસાઇટ: http://www.gandhiserve.org/

2 Comments:

Anonymous Anonymous said...

aa post vaanchvu ekdam gamyu. bau loko ne Gandhiji ni tikka karta me saambhadya chhe, tyare jeev barre chhe pan pota paase itihaas nu purtu gnaan k eno koi abhyaas nathi etle saame dalil karvaani shakti na malle....'bachaav' na kari saku.

saaru laagyu k Gandhiji ne samajvaani kosis kare eva loko haji chhe.

4/10/05 15:28  
Blogger Kathiawadi said...

હા, સાચી વાત છે. થોડોક ઇતિહાસ જાણવો ખુબ જરૂરી છે. અને ગાંધીજી નું લખાણ વાંચતી વખતે એવુ જરાય લાગશે નહિ કે તમે ઇતિહાસ વાંચો છો. એનું લખાણ આપણા માટે જ લખાયું છે એવો અનુભવ થશે.

4/10/05 18:39  

Post a Comment

<< Home