Tuesday, October 11, 2005

કાગડાઓ નો પ્રશ્ન

વધુ એક ભૂકંપ. આજે પણ મારી વૂડન ફ્લૉર વાળી લૅબોરૅટરી જ્યારે નીચલા માળે ચાલતા મશીન નાં લીધે ક્યારેક ધ્રુજે છે, ત્યારે ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ નાં દિ’ એ મારા મગજ માં છપાઇ ગ્યે’લી સ્મૃતિ ઉપસી આવે છે.

પણ મારે આજે એ ભયાનક અનુભવ યાદ નથી કરવો. પાકિસ્તાન અને ઉત્તર ભારત માં આવેલા ભૂકંપ ને ચાર દિ’ થ્યા. મીડીયા જણાવે છે કે અમુક ભાગો માં લૂંટફાટ ચાલુ થઇ ગઇ છે. આપણ ને આવા લોકો પ્રત્યે ઘૃણા પેદા થાય, એ સ્વાભાવિક છે.

આ દ્ર્શ્ય વિચારો. મોરબી જેવડા એક ગામ નાં હજારો ભુખ્યા, તરસ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાના બાળકો (અને વ્રુદ્ધો) ને લઇ ને એટલા જ ભુખ્યા, ઇજાગ્રસ્ત મા-બાપ હેલિપૅડ ઉપર ત્રણ દિ’ થી રાહ જોઇને એવી આશા માં બેઠા છે કે તેમનો વારો આવે અને આર્મી નું હેલિકૉપ્ટર તેમનાં સંતાન ને સારવાર માટે હૉસ્પિટલે લઇ જાય. આવા સંજોગો માં, એ જ ગામ નાં યુવાનો સારવાર ની રાહ જોતા માણસો ની તુટેલી દુકાનો અને ઘરો માં લૂંટફાટ કરીને જે હાથ માં આવે તે લઇ જાય છે. દુનિયા માં કોઇપણ માણસ ને આ વર્ણન કરવામાં આવે તો તેને આ નફ્ફટ યુવાનો પ્રત્યે ખીજ ચડવાની.

આવી ઘટના ખાલી પાકિસ્તાન માં નથી બનતી. અને એવું પણ નથી કે આવા લોકો હંમેશા મજબૂરી અને જરૂરિયાત નાં લીધે લૂંટ કરે છે. કટરિના સામે હારી ગ્યે’લુ ન્યુ ઓર્લિઅન્સ હોય કે કોમી તોફાનો માં સળગતુ આપણું અમદાવાદ કે પછી આવા જ તોફાનો માં સળગતા રવાન્ડા, નાઇજીરીયા કે લાઇબીરીયા; બધેય કાગડા જોવા મળે છે. આ બધાય કાગડા શું ખરેખર ભુખ્યા હોય છે? ના.

આપણે આ કાગડાઓ ની સંખ્યા ઘટાડવાની છે. પણ કેવી રીતે? એનો જવાબ માત્ર લોકો ની આર્થિક સદ્ધરતા કે conventional ભણતર માં તો નથી જ. આ જવાબ માણસ નાં લોભ, સ્વાર્થ અને એની સમાજ પ્રત્યે ની જવાબદારી ને આકાર આપતા જુદાજુદા ગૂઢ પરિબળો નાં મિશ્રણ સંતાયેલો છે. Which પરિબળો (factors) are primary variables?

1 Comments:

Blogger ધવલ said...

The answer to this is in one's own heart ! Eveyone takes care of his own bad elements and there won't be any bad people anymore.

14/10/05 17:09  

Post a Comment

<< Home