ડાહી વાતો
માણસ નાં વિચારો ઘડાવાની પ્રક્રિયા જેટલી સાદી લાગે છે એટલી જ unbelievable પણ છે. મેં ખુદ પણ આ જીવન નાં ટૂંકા ગાળા માં અમુક વિષયો ઉપર નાં મારા વિચારો માં ખુબ ફેરફારો અનુભવ્યા છે. આ ફેરફારો નાનાં મોટા નહિ, પણ અમુક મુદ્દાઓ ઉપર તો વિચારોએ ઉત્તર ધ્રુવ થી દક્ષીણધ્રુવ જેટલી મોટી shift અનુભવેલી છે. અને એ પણ ખબર છે કે હું અત્યારે જે વિચારો ધરાવુ છું, એ જ વિચાર અમુક વરસો (અરરે, અમુક મહિનાઓ) પછી મને સાવ અર્થવિહિન કે મુર્ખામીભર્યા લાગશે એમાં બેશક નથી. અત્યારે જે મુદ્દાઓ ઉપર બીજા લોકો સાથે શાબ્દિક વિવાદ કરું છું, શક્ય છે કે, અમુક સમય પછી હું જ તેમના વિચારો અપનાવી લઉ.
હું નાનો હતો ત્યારે ઘણીવાર શાખા (આર.એસ.એસ. દ્વારા બાળકો અને યુવાનો માટે રોજ એક કલાક ચલાવાતી રમત ગમત થી ભરપૂર એક સભા) માં જાતો. હું ત્યાં મારી કે મમ્મી-પપ્પા ની કોઈ વિચારધારા ને લીધે જાતો એવું નો’તું, પણ રમવાની મજા આવતી અને એક બાળક ને રમવા સિવાય બીજુ શું ગમે? થોડાક દિ’ માટે એક મુસ્લીમ મિત્ર પણ શાખા માં આવતો, એવું યાદ છે. આ ઈ સમય હતો જ્યારે ભાજપનાં અડવાણી સાઇ’બ રથયાત્રા ઉપર રથયાત્રા કાઢતા અને રામમંદિર સિવાય એમના પક્ષ પાસે કોઈ વાત કરવા માટે નો’તી (જો કે, અત્યારે પણ ભાજપ માં હજી ઘણાં એવા લોકો છે). મેં પણ એકાદ – બે વાર “સાધ્વી” ઋતંભરા ની ઝેર ઓકતી ઑડીયો કૅસેટ સાંભળેલી, ઈ વખતે.
આ બધા લોકો માટે મારા માં જે પણ soft corner હતો, ઈ ઘસાઈ ગ્યો એને વરસો થઈ ગ્યા. હવે તો આવા લોકો માટે લાગણી ધરાવતા, મારી ઓળખાણ નાં, લોકો ને “સુધારવા” નો નશો (એનાં ઉપર પછી ક્યારેક વાત) પણ ઘણીવાર મને ચડી જાય છે. પણ, આ વાત ઉપર થી મને એટલું તો શીખ્યો છું કે, બધી વાતો ઉપર જલદી થી કોઈ નક્કર નિર્યણ લઈ લેવો અને માનવું કે બાકી બધા વિરોધી વિચારો સાવ ખોટા છે, એ ખુબ જોખમ ભરેલું છે. Taking a stand is very important, I know; પણ, જે લોકો બધી બાજુ નાં વિધાનો સાંભળીને પણ જો કોઈ નિર્યણ નો’ લઈ શકે તો, એનો અર્થ ઈ નથી કે તેમને fence sitters ગણવા.
મારો 'inner voice' (હા, Sonia Gandhi fame!): હાલ હાલ, બહુ સભા કઈ’રી, હવે કાંઇક ભણવાનું કર, દોઢ ડાહ્યા.
હું નાનો હતો ત્યારે ઘણીવાર શાખા (આર.એસ.એસ. દ્વારા બાળકો અને યુવાનો માટે રોજ એક કલાક ચલાવાતી રમત ગમત થી ભરપૂર એક સભા) માં જાતો. હું ત્યાં મારી કે મમ્મી-પપ્પા ની કોઈ વિચારધારા ને લીધે જાતો એવું નો’તું, પણ રમવાની મજા આવતી અને એક બાળક ને રમવા સિવાય બીજુ શું ગમે? થોડાક દિ’ માટે એક મુસ્લીમ મિત્ર પણ શાખા માં આવતો, એવું યાદ છે. આ ઈ સમય હતો જ્યારે ભાજપનાં અડવાણી સાઇ’બ રથયાત્રા ઉપર રથયાત્રા કાઢતા અને રામમંદિર સિવાય એમના પક્ષ પાસે કોઈ વાત કરવા માટે નો’તી (જો કે, અત્યારે પણ ભાજપ માં હજી ઘણાં એવા લોકો છે). મેં પણ એકાદ – બે વાર “સાધ્વી” ઋતંભરા ની ઝેર ઓકતી ઑડીયો કૅસેટ સાંભળેલી, ઈ વખતે.
આ બધા લોકો માટે મારા માં જે પણ soft corner હતો, ઈ ઘસાઈ ગ્યો એને વરસો થઈ ગ્યા. હવે તો આવા લોકો માટે લાગણી ધરાવતા, મારી ઓળખાણ નાં, લોકો ને “સુધારવા” નો નશો (એનાં ઉપર પછી ક્યારેક વાત) પણ ઘણીવાર મને ચડી જાય છે. પણ, આ વાત ઉપર થી મને એટલું તો શીખ્યો છું કે, બધી વાતો ઉપર જલદી થી કોઈ નક્કર નિર્યણ લઈ લેવો અને માનવું કે બાકી બધા વિરોધી વિચારો સાવ ખોટા છે, એ ખુબ જોખમ ભરેલું છે. Taking a stand is very important, I know; પણ, જે લોકો બધી બાજુ નાં વિધાનો સાંભળીને પણ જો કોઈ નિર્યણ નો’ લઈ શકે તો, એનો અર્થ ઈ નથી કે તેમને fence sitters ગણવા.
મારો 'inner voice' (હા, Sonia Gandhi fame!): હાલ હાલ, બહુ સભા કઈ’રી, હવે કાંઇક ભણવાનું કર, દોઢ ડાહ્યા.

<< Home