Sunday, January 22, 2006

સૌરવ :(

સૌરવ ગાંગુલી નો ભારતીય ક્રિકેટ ટીમ માં સમાવેશ થવો જોઇએ કે નહિ એ મુદ્દાએ માત્ર દેશ જ નહિ, પરંતુ even એક જ કુટુંબ નાં સભ્યો ને પણ divide કર્યા છે.

મારા મત મુજબ ગાંગુલી નો સમય પૂરો થવા ઉપર છે. અને માત્ર એનાં સુવર્ણ ભૂતકાળ નાં હિસાબે ટીમ માં અગણીત તકો આપી નો’ શકાય. મારા પપ્પા, ગાંગુલી નાં બહુ મોટા સપૉર્ટર, કહે છે કે જો ગાંગુલી ને તેનાં ફૉર્મ નાં આધારે પ્રથમ અગ્યાર ખેલાડીઓ માં સ્થાન મળે એમ નો’ હોય તો, પાકીસ્તાનીઓ ને કહો કે તે લોકો 12 ખેલાડીઓ ને મૅચ માં રમાડે, કે જેથી ભારત ની ટીમ માં બારમા ખેલાડી નું સ્થાન સૌરવ ને મળે!! હે ભગવાન, ભારતીય સમાજ ને વ્યક્તિ પૂજા નું વળગણ કેમ લગાડ્યુ?

0 Comments:

Post a Comment

<< Home